"જળ છે તો જીવન છે" આજે વિશ્વ જળ દિવસ

“ જળ બનાવી નથી શકાતું બચાવી શકાય છે ”

એક સમય હતો જ્યારે જગ્યાએ જગ્યાએ નદી, તળાવ, નહેર, કુવા દેખાતા હતા. પરંતુ ઔધોગિકરણની રાહ પર ચાલી રહેલી આ દુનિયાએ આ દ્રશ્યને કેટલીય હદ સુધી બદલી  દીધુ છે. તળાવ,કુવા,નહેર વગેરે સુકાતા જાય છે. નદીનું દુષિત પાણી દુષિત થવાની સાથે સાથે ઓછું થઇ રહ્યું છે. જળ સંકટ વધતું જાય છે. વિશ્વભરમાં લોકો જળનું મહત્વ સમજાવવા  અને લોકોને સ્વચ્છ જળ ઉપલબ્ધ કરાવવા માટે દરવર્ષે  22 માર્ચે જળ દિવસ મનાવવામાં આવે છે. સભ્યતાઓના જન્મ સાથે જ મનુષ્ય દ્વારા જળને ઓછું મહત્વ આપવામાં આવી રહ્યું છે. કહેવાયું છે કે જળ જ તમામ ભૌતિક વસ્તુઓનું કારણ છે અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે ભારત સહિત સમગ્ર દુનિયા અત્યાર સુધી આ ધરોહરને સંભાળીને રાખવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે દર વર્ષે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે.

 દુનિયાને પાણીની જરુરિયાતથી વાકેફ કરાવવાનો હેતુથી સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ જળ દિવસ મનાવવાની શરુઆત કરી હતી. 1992માં રિયો ડે જેનેરિયોમાં આયોજિત પર્યાવરણ તથા વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સમ્મેલનમાં વિશ્વ જળ દિવસ મનાવવાની શરુઆત કરવામાં આવી હતી. જેનું આયોજન પહેલીવાર 1993માં 22 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. દુનિયાને પાણી બચાવવું કેટલુ જરુરી છે તે આપણું મૂળભૂત સંસાધન છે. તેના થકી અનેક કામનું સંચાલન થાય છે. જો પાણીની અછત હશે તો કેટલાય કાર્યો ઠપ થઇ શકે છે. અસતિત્વ પર મોટું સંકટ આવી શકે છે. 

દર વર્ષે વિશ્વ જળ દિવસની એક થીમ સાથે મનાવવામાં આવે છે.દુનિયામાં કેટલાય દેશ એવા છે જ્યાં લોકોને પીવાનું પાણી પણ નથી મળી શકતું અને લોકો ગંદુ પાણી પીને સ્વાસ્થ્ય સંબધીત સમસ્યાઓનો સામનો કરે છે. દર વર્ષે વિશ્વ જળ દિવસના મોકા પર કેટલાય કાર્યક્રમોનું આયોજન થાય છે. ભાષણ, કવિતાઓ અને વાર્તાઓના માધ્યમથી લોકોને જળ સંરક્ષણ અને તેનું મહત્વ સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કેટલાય પ્રકારના ફોટો અને પોસ્ટર શેર કરવામાં આવે છે તેનું લક્ષ પાણીનું મહત્વ સમજાવવાનું છે. પાણીનું આપણાં જીવનમાં શું મહત્વ છે તે સૌ કોઈ જાણે છે. પાણી વગર પૃથ્વી પર રહેવું અશક્ય છે. 

દુનિયાનો 70% ભાગ પાણીથી ધેરાયલો છે અને તેમાં 97% પાણી પીવા લાયક નથી. માત્ર 3% પાણી પર સમગ્ર દુનિયા જીવીત છે. પાણી વગર જીવનની કલ્પના પણ કરવી અશક્ય છે . 1992માં બ્રાઝિલમાં પર્યાવરણ અને વિકાસ પરિષદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં વિશ્વ જળ દિવસની ઉજવણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ પછી, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1992 માં ઠરાવ અપનાવ્યો અને જાહેરાત કરી કે વિશ્વ જળ દિવસ દર વર્ષે 22 માર્ચે ઉજવવો જોઇએ. આ પછી, વર્ષ 1993 માં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી. 

 

વર્ષ 2010 માં, યુએનએ સલામત, સ્વચ્છ પીવાના પાણી અને સ્વચ્છતાના અધિકારને માનવ અધિકાર તરીકે માન્યતા આપી હતી. ઝડપથી વધી રહેલી ફેક્ટરીઓ અને વસ્તીના કારણે પાણીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. દુનિયામાં લોકો જાણતા-અજાણતા પાણીનો બગાડ કરે છે અને બહુ જલ્દી દરેકને પાણીની તંગીનો સામનો કરવો પડી શકે છે.